Wednesday, 25 January 2017

માત્ર દારૂની બોટલો વેચનાર લતિફ ગુજરાતનો ડોન કેવી રીતે બન્યો ?



અમદાવાદના મર્હુમ ડોન અબ્દુલ લતીફના જીવનના આધાર ઉપર બનાવવામાં આવેલી રઈસ ફિલ્મ આવતીકાલ તા.૨૫મીથી રિલિઝ થશે. ગુનાખોરી આલમમાં એકહથ્થુ શાસન સ્થાપનાર ડોન લતિફના જીવન-કવન ઉપર બનેલી રઈસ ફિલ્મને લઈ દર્શકોમાં પણ ભારે ઉત્કંઠા જોવા મળી રહીં છે


દરિયાપુરમાં જન્મેલા મર્હુમ ડોન અબ્દુલ લતીફ અબ્દુલ મજીદ શેખે ૧૯૭૮ની સાલમાં કાલુપુરમાં મજુરઅલીના ત્યાં દારૂ -જુગારના કામે લાગ્યો હતો. જોત-જોતામાં દારૂનું મોટાપાયે ધંધો ચાલુ કરીને અમદાવાદમાં સામ્રાજ્યુ ઉભું કરી દીધું હતું. ૧૯૮૫માં અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનમાં પાંચ જગ્યાએથી ચૂંટણી લડીને જીત હાંસલ કરીને રાજકારણમાં ઝપલાવ્યું હતું. ગુનાખોરી સાથે રાજકારણમાં જતા દારૂના ધંધાના હરીફો ઉભા થતા ગુનેગારો મારફેત બુટલેગરોની હત્યા કરાવવાનું ચાલુ કર્યુ હતુ.જેમાં મુંબઈથી શાર્પ શુટર શરીફખાનને અમદાવાદ બોલાવીને ઓઢવ રાધિકા જીમખાનામાં હસરાજ ત્રિવેદી સહિત નવ જણાની હત્યા કરતા ભારે વિરોધ ઉભો થયો હતો. જેના લીધે અબ્દુલ લતીફ પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. આ વર્ષમાં દાઉદના ઈશારે મોટાપાયે હથિયારો અને દારૂગોળાની હેરાફેરી અને ભાગફોડ કરાવતા ક્રાઈમ બ્રાન્ચે લતીફ ગેંગના સાગરિતોને ઝડપી લેવા માટે ખાસ ટીમો બનાવી હતી.
જો કે, લતીફ દુબઈ જતો રહ્યો હતો. અબ્દુલ લતીફના બનેવી અબ્દુલ ખુર્દશની પોલીસે ધરપકડ કરીને પુછપરછ કરતા પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓની સાંઠગાંઠ બહાર આવી હતી.૧૯૯૪માં લતીફના સાગરિત અબ્દુલ વહાબની ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી હતી. બાદ લતીફના ગેંગના આશેર ૧૦૫ જેટલા સાગરિતો પકડાઈ ગયા હતા. ગુજરાત એટીએસે તા.૯-૧૦-૧૯૯૫ના રોજ લતીફની દિલ્હીથી ધરપકડ કરી હતી.જેલમાંથી ખંડણી માંગવાના આરોપસર લતીફને તા.૨૮-૧૧-૧૯૯૭ના રોજ જેલમાંથી બહાર કાઢયો ત્યારે નાસવા-જતા પોલીસ અથડામણમાં ઠાર માર્યો ગયો હતો.

No comments:

Post a Comment