Sunday, 8 January 2017

મેચે બદલ્યુ હતું ધોનીનું નસીબ, દેશમાં લાગ્યા જિંદાબાદના નારા






ભારતીય ટીમની કેપ્ટન્સી છોડી ચુકેલા સુપર સ્ટાર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું નસીબ પાકિસ્તાન વિરૂદ્ધ એક મેચથી ચમક્યુ હતું. 

ધોનીની કેપ્ટન્સીમાં 24 સપ્ટેમ્બર 2007માં ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં ભારતે પોતાના સૌથી મોટા દુશ્મન પાકિસ્તાનને 5 રને હરાવ્યું હતું. 

આ ભારતની પ્રથમ ટી-20 વર્લ્ડકપ જીત હતી. ટીમ ઇન્ડિયાની સાથે સાથે માહી માટે પણ જિંદાબાદના નારા લાગ્યા હતા. 

આવી રોમાંચક હતી મેચ, બદલાયુ ધોનીનું નસીબ
 
- ફાઇનલ મુકાબલામાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 157 રન બનાવ્યા હતા
- જેમાં સૌથી વધુ રન ગૌતમ ગંભીર (75)એ બનાવ્યા હતા, જેને 54 બોલમાં 8 ફોર અને 2 સિક્સર ફટકારી હતી.

- પાકિસ્તાનને જીતવા માટે 7.79ની રન રેટથી 158 રન બનાવવાના હતા

- પરંતુ કેપ્ટન ધોનીએ માઇન્ડ ગેમ રમી બોલર્સનો એવો ઉપયોગ કર્યો કે પાકિસ્તાન 152 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી

- ભારત તરફથી આરપી સિંહ અને ઇરફાન પઠાણે 3-3, જોગિન્દર શર્માએ 2 અને શ્રીસંતે 1 વિકેટ ઝડપી હતી

No comments:

Post a Comment